માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાના પાસે ટ્રક કન્ટેનરની પાછળના ભાગે અંતિમ પગલુ ભરીને યુવાને આયખુ ટુંકાવ્યુ


SHARE







વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાના પાસે ટ્રક કન્ટેનરની પાછળના ભાગે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના પાસે ટ્રક કન્ટેનરના ચાલકે કન્ટેનરની પાછળના ભાગમાં જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ગાંધીધામ કચ્છ આર્કેડ ખાતે સિવાય લોજિસ્ટિકમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા દિનેશસિંહ ગોવિંદસિંહ રાવત (27) એ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં લોસેરો સીરામીક કારખાના પાસે પોતે પોતાની જાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીઝેડ 8594 માં પાછળના ભાગે જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની દિલીપભાઈ દલસાણીયા (51) રહે. રવાપર રોડ વિદ્યુત પાર્ક સોસાયટી સ્વર્ગ એપાર્ટમેન્ટ 503 મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News