મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો

23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને ખાસ કરીને દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા સ્કૂલ પાસે અગાઉ જ્યાં જાણતા રાજા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તે રાયગઢ કિલ્લા શિવાજી મહારાજ મહાનાટક મેદાન રવાપર ઘુનડા રોડ ખાતે કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેને માણવા માટે થઈને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને આ તકે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા કે જે દેશભરમાં જાણીતી છે તેમની દીકરીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કવિ સંમેલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હર્ષિદાબેન ત્રિવેદી, દીપકભાઈ ત્રિવેદી, ડો. મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ પંડ્યા, દિનેશભાઈ કાનાણી, પારસભાઈ હેમાણી, રાકેશભાઈ હાંસલિયા અને ડો. રામભાઈ વારોતરીયા દ્વારા તેઓની કવિતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આ તકે આગામી સમયમાં મોરબીમાં જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી






Latest News