મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો

23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને ખાસ કરીને દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા સ્કૂલ પાસે અગાઉ જ્યાં જાણતા રાજા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તે રાયગઢ કિલ્લા શિવાજી મહારાજ મહાનાટક મેદાન રવાપર ઘુનડા રોડ ખાતે કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેને માણવા માટે થઈને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને આ તકે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા કે જે દેશભરમાં જાણીતી છે તેમની દીકરીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કવિ સંમેલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હર્ષિદાબેન ત્રિવેદી, દીપકભાઈ ત્રિવેદી, ડો. મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ પંડ્યા, દિનેશભાઈ કાનાણી, પારસભાઈ હેમાણી, રાકેશભાઈ હાંસલિયા અને ડો. રામભાઈ વારોતરીયા દ્વારા તેઓની કવિતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આ તકે આગામી સમયમાં મોરબીમાં જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી






Latest News