ઉમદા સામાજિક કાર્ય : મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી દ્વારા પાથરણાવાળાઓ માટે છત્રી વિતરણ
SHARE
ઉમદા સામાજિક કાર્ય : મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી દ્વારા પાથરણાવાળાઓ માટે છત્રી વિતરણ
હાલ જયારે સૂર્યનારાયણ પ્રકોપમાન થઇ રહ્યા છે અને આગ વરસાવતુ આભ અને લુ ઓકતી ધરતીએ જીવમાત્રને આકુળ વ્યાકુળ કર્યા છે. જીવવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે જીવ માત્ર ઠંડક શોધવા પ્રયત્નો કરી રહ્યા છે.આવા સમયે પરિવારના ગુજરાન માટે પેટીયુ રડવા માટે ધોમધખતા તાપમાં ખુલ્લામાં ચીજ વસ્તુઓ વહેંચતા નાના લારી, પાથરણા વાળાઓ તેમજ ફેરિયાઓની તો વાત જ શી કરવી ? પરંતુ મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આવા લોકો ધ્યાને આવતા સંસ્થા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે ૬ બીગ છત્રિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે તેમને તપતી ગરમીથી મુક્તિ તો નહી આપી શકે પણ રાહત આપનાર સાબીત થશે એ ચોક્કસ છે.
આ એક અતિ ઉત્તમ, સરહાનીય અને માનવતાભર્યું સામાજિક કાર્ય છે, જે વેન્ડર્સ માટે રાહત અને શારીરિક સુરક્ષા આપનારૂ કવચ બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.પાથરણા વાળા દ્વારા પણ જેમ "સુરજ કી ગર્મી સે તપતે હુએ તનકો મીલ જાયે તરૂવર કી છાયા" એવાજ અહોભાવ સાથે સંસ્થાના મહિલા અગ્રણીઓનો આભાર માન્યો હતો.