મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા ગામ પાસેનો બનાવ :રિફલેક્ટર આડસ કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઇડ ટ્રક પાર્ક કરતા અતસ્માત


SHARE











વાંકાનેરના ગારીડા ગામ પાસેનો બનાવ :રિફલેક્ટર આડસ કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઇડ ટ્રક પાર્ક કરતા અતસ્માત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ગારીડા ગામ પાસેના નેશનલ હાઈવે ઉપર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ટ્રકના લીધે પાછળ અન્ય ટ્રક અથડાતા પાછળના ટ્રકના ડ્રાઇવરના બંને પગે ફેક્ચર થયું હોય આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે તેઓના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મોહમ્મદજીબ્રાઇલ મોહમ્મદમજીદ મુસ્લિમ (૩૬) ધંધો ડ્રાઇવિંગ રહે.ગુવાવા તા.ગૌરીગંજ જી.અમેઠી ઉત્તરપ્રદેશ વાળાએ ટ્રક નંબર જીજે ૩૬ વી ૫૨૮૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૩૦-૩-૨૫ ના રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે હાઇવે ઉપર ઉપરોક્ત નંબરના ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક રાત્રીના સમયે કોઈપણ જાતની આડસ, રીફલેકટર કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઈડ પાર્ક કરેલો હોય જેથી કરીને ફરિયાદી પોતાનો ટ્રક લઈને પાછળથી નીકળતા અને તેઓનો ટ્રક આ ટ્રકની પાછળ અથડાયો હતો.જે બનાવમાં ફરીયાદીના બંને પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ તેમજ શરીરે મૂઢ ઇજાઓ પહોંચી હતી.હાલ આ બનાવ સંદર્ભે ફરીયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસ મથકના એસ.જે.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી રહી છે.

ભરતનગર પાસે અકસ્માત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ભરતનગરથી હરીપર (કેરાળા) બાજુ જતા રસ્તે સર્જાયેલ અકસ્માત બનાવમાં અર્જુન રામપ્રસાદ સહાની (ઉંમર ૩૫) રહે.હાલ મુન્દ્રા-કચ્છને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે ઉદય સીરામીક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાઓ થતા મનોજ રામદાસ નાઇ (ઉમર ૨૮) તથા અજય રામદાસ નાઇ (ઉમર ૫૫) ને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસાવાણીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ ઇજા

મોરબીની વિજય ટોકિઝ પાસે આવેલ ખાખીની જગ્યામાં રહેતા કમલભાઈ સુરેશભાઈ કુબાબત નામનો ૪૮ વર્ષીય યુવાન કારખાનેથી પરત ઘર તરફ આવી રહ્યો હતો.ત્યારે રવાપર ગામે બોનીપાર્ક નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી






Latest News