મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તાના વિકાસ કામ માટે જિગ્નાસાબેન મેરની ગાંધીનગરમાં રજૂઆત


SHARE











વાંકાનેરમાં નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તાના વિકાસ કામ માટે જિગ્નાસાબેન મેરની ગાંધીનગરમાં રજૂઆત

વાંકાનેર તાલુકામાં વિવિધ વિકાસના કામોની રજૂઆત માટે ગાંધીનગર સચિવાલય ખાતે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીગ્નાસાબેન મેર, ઉપપ્રમુખ દેવાભાઈ વિંજવાડીયા, ભાજપ આગેવાન નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી

ત્યારે જિગ્નેશબેન મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે ફક્ત એક પેટા વિભાગીય સિંચાઈ પંચાયત કચેરી આવેલ છે, જેના હસ્તક કુલ ૨૧ નાની સિંચાઈ યોજના, ૪૨૫ થી વધુ તળાવ, ૧૭૩ થી વધુ ચેકડેમ આવેલ છે, જેમાં વાંકાનેર તાલુકો ૧૦૨ ગામો સાથે ૧૧૨૮ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો મોટો તાલુકો હોય, વાંકાનેર તાલુકા ખાતે પંચાયત સિંચાઈ પેટા વિભાગની નવી કચેરી બનાવવા તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીગ્નાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરવામાં આવી છે. જેનાથી સિંચાઈના લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ અને મેન્ટેનન્સ કામ ઝડપથી અને સરળ રીતે થઈ શકશે. આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં વિવિધ નવા રોડ માટેની ભલામણ અને જૂના રોડના પ્રશ્નો જેવા કે વર્ષ ૨૦૨૨ માં મંજૂર થયેલ રાતાવીરડાથી ઓળ સુધીના ૮૫૦ લાખની રકમના રોડને ૯૩૦ લાખના રકમના રોડના જોબ નંબર ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી જેનાથી આજુબાજુના લગભગ દસથી બાર ગામોને સીધો ફાયદો થઈ શકે એમ છે.






Latest News