મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડે 8 ગેરકાયદે મકાન તોડી પાડ્યા, શક્તિ ચોક પાસે નાના મોટા દબાણોનો સફાયો


SHARE





મોરબીના વેજીટેબલ રોડે 8 ગેરકાયદે મકાન તોડી પાડ્યા, શક્તિ ચોક પાસે નાના મોટા દબાણોનો સફાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણને તોડવા માટેનુ કામ આજે મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને એક કે બે પરંતુ આઠ જેટલા ગેરકાયદે મકાનો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબીના શક્તિ ચોક પાસે ખાટકીવાસ નજીક પણ કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની સ્થાનિક લોકોને સૂચના આપવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ડિમોલિશન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં આજે મોરબીમાં આવેલ શક્તિ ચોક પાસે ખાટકીવાસ નજીક નાના મોટા કાચા પાકા દબાણોને દૂર કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી હતી. તેવામાં આજે વેજીટેબલ રોડ ઉપર રોડની સાઈડમાં કરવામાં આવેલા ગેરકાયદે મકાનોને તોડવા માટેનું કામ શરૂ કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ આઠ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના શુભમ પટેલ પાસેથી જાણવા મળેલ છે




Latest News