રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડે 8 ગેરકાયદે મકાન તોડી પાડ્યા, શક્તિ ચોક પાસે નાના મોટા દબાણોનો સફાયો


SHARE











મોરબીના વેજીટેબલ રોડે 8 ગેરકાયદે મકાન તોડી પાડ્યા, શક્તિ ચોક પાસે નાના મોટા દબાણોનો સફાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણને તોડવા માટેનુ કામ આજે મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને એક કે બે પરંતુ આઠ જેટલા ગેરકાયદે મકાનો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબીના શક્તિ ચોક પાસે ખાટકીવાસ નજીક પણ કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની સ્થાનિક લોકોને સૂચના આપવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ડિમોલિશન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં આજે મોરબીમાં આવેલ શક્તિ ચોક પાસે ખાટકીવાસ નજીક નાના મોટા કાચા પાકા દબાણોને દૂર કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી હતી. તેવામાં આજે વેજીટેબલ રોડ ઉપર રોડની સાઈડમાં કરવામાં આવેલા ગેરકાયદે મકાનોને તોડવા માટેનું કામ શરૂ કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ આઠ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના શુભમ પટેલ પાસેથી જાણવા મળેલ છે






Latest News