વાંકાનેરના કાછીયાગાળા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થતાં માલધારીને સરકારી સહાય ચુકવાઈ
SHARE










વાંકાનેરના કાછીયાગાળા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થતાં માલધારીને સરકારી સહાય ચુકવાઈ
વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામ ખાતે નવ દિવસ પહેલા વીજળી પડવાથી એક ભેંસનું મૃત્યુ થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા મૃતક પશુના માલિકને સરકારી ધારા ધોરણ મુજબ રૂપિયા વીસ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે, કાછિયાગાળા ગામે ગત તા. 7/5 ના રોજ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે આકાશી વીજળી પડવાથી માલધારી ગોપાલભાઈ મૈયાભાઈ પરમારની એક ભેંસનું મોત નીપજયું હતું જેથી તાલુકા પંચાયત દ્વારા સરકારી ધારાધોરણ મુજબ ૨૨૪૫ (કુદરતી આફતો) રૂપિયા 20 હજારની સહાયનો ચેક નવ દિવસમાં જ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા તાલુકા પંચાયત ખાતે ગોપાલભાઈ મૈયાભાઈ પરમારને અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ સોલંકી અને તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા.

