ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ડીડીઓએ બાંધકામ મંજુરીને લગતા જે પરિપત્રો કર્યા તે રદ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE













મોરબીના ડીડીઓએ બાંધકામ મંજુરીને લગતા જે પરિપત્રો કર્યા તે રદ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજુરીને લગતા જે પરિપત્રો છેલ્લા સમયમાં કરવામાં આવેલ છે તેના લીધે નાના મકાન ધારકો, નાના ઓદ્યોગીક એકમોને ખલેલ પહોંચે છે જેથી કરીને આ પરિપત્રોને રદ કરવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં બચુભાઈ ખાબડને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા સમયમાં ત્રણ પરિપત્ર બાંધકામ મંજુરીને લઈને કરવામાં આવેલ છે. જેમાં બાંધકામની મંજુરી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ રજુ કરી તાલુકા પંચાયતનો અભિપ્રાય મેળવવાનો રહેશે., ગુજરાત પંચાયત અધિનિયમ ૧૧૯૩ ની કલમ ૧૦૪ મુજબ બાંધકામ મંજુરી માટે ગ્રામ પંચાયતને અધિકાર છે એટલે કે, ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં બાંધકામની મંજુરી લેવાની હોય છે. પરંતુ બાંધકામની મંજુરીમાં તાલુકા પંચાયતનો કોઈ રોલ હોતો નથી, તેમ છતાં બાંધકામની મંજુરીમાં કોઈને વાંધો-તકરાર હોય તો જિલ્લા પંચાયતને અપીલ કરવાની હોય છે. માટે બાંધકામ મંજુરીમાં સચિવ તરીકે તલાટી કમ મંત્રીની સહિ ની જરૂર રહેતી નથી. આ પરિપત્રોને કારણે નાના મકાન ધારકો, નાના ઓદ્યોગીક એકમોને ખલેલ પહોંચેલ છે. જો આ પરિપત્રો રદ કરવામાં આવે તો મકાન ધારકો અને ઔદ્યોગીક એકમોને આર્થિક ક્ષેત્રમાં વેગ મળે તેમ છે. રજુઆતને ધ્યાને લઈને આવા પરિપત્રો માત્ર મોરબી માટે જ કેમ? જેની યોગ્ય તપાસ કરી, પરિપત્રી રદ કરવા માટેની ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.






Latest News