મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ચેરમેન જિજ્ઞાસાબેન મેરે કર્યું લોકાર્પણ


SHARE













વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ચેરમેન જિજ્ઞાસાબેન મેરે કર્યું લોકાર્પણ

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે તાલુકા પંચાયત દ્વારા સૌ પ્રથમ વખત ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલ છે જેનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ગ્રાઉન્ડ અંદાજિત 11.20 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને પીચના કેન્દ્રથી બાઉન્ડ્રી સુધી 60 મીટર અને પીચ સહિત ૧૨૦ મીટરના વ્યાસ ધરાવતું ક્રિકેટ ગ્રાઉન્ડ અને રોડના કામ કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે કરાયું હતું ત્યારે વાંકાનેર તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ, ઇજનેર સમીરભાઈ, ઠીકરીયાળા ગામના સરપંચના પુત્ર પ્રવિણભાઈ હકાભાઈ માંડાણિ તેમજ પોપટભાઈ માલકિયા, કેવલભાઈ નાકીયા, સુનીલભાઈ નાકિયા, જિજ્ઞેશભાઈ નાકીયા, જગદીશભાઈ ચૌહાણ, હિતેશભાઈ આહિર સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા. અને ઇજનેર સમીરભાઇએ ટો ઉછળીને મેચની શરૂઆત કરી હતી ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા પણ હાથમાં બેટ લઈને ફટકાબાજી કરવામાં આવી હતી.








Latest News