મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન


SHARE











મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન

મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે બે ઉદ્યોગકારોના સહયોગથી રાહતદારે ચોપડા અને સ્ટેશનરીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા, સ્કૂલબેગ, કંપાસ બોક્સ વગેરે 40 થી વધુ રાહત દરે આપવામાં આવશે. જેથી તેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે આયોજકે અનુરોધ કર્યો છે.

વર્ષ 2025-26 નું નવું શૈક્ષણિક શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર, મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીકના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી 40 ટકાથી વધુ રાહત દરે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એક અઠવાડિયા સુધી એટ્લે કે તા. 25 મે થી તા. 1 જુન સુધી “આશીર્વાદ” શક્તિ પ્લોટ શેરી નંબર-9 , રવાપર રોડ, મોરબી ખાતે સવારે 7:00 થી 12:00 સાંજે 4:00 થી 7:00 સુધી વિતરણ ચાલુ રહેવાનુ છે જેથી મોરબીની દરેક સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓમોટી સંખ્યામાં પ્રોજેક્ટનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઇચ્છતી હોય તો ડો. રવિન્દ્ર ભટ્ટ (98982 88777), સુનિલભાઈ કચોરીયા (9408101954) કે મિહિરભાઇ મહેશ્વરી (9426221848)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News