ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહાવીર સોસાયટી પાસે બેભાન થઈ ગયેલ યુવાનનું મોત


SHARE













વાંકાનેરમાં મહાવીર સોસાયટી પાસે બેભાન થઈ ગયેલ યુવાનનું મોત

વાંકાનેરના રાજા વડલા રોડે આવેલ અંધ અપંગ ગૌશાળા ખાતે રહેતો અને કામ કરતો યુવાન વાંકાનેરમાં મહાવીર સોસાયટી પાસે કોઈ કારણસર બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજા વડલા રોડ ઉપર આવેલ અંધ અપંગ ગૌશાળા ખાતે રહેતા મૂળ એમપીનો રહેવાસી સુરપાલ કેન્દ્રુ શીંગાળ (19) નામનો યુવાન વાંકાનેરમાં આવેલ મહાવીર સોસાયટી પાસે હતો ત્યારે કોઈ કારણસર તે બેભાન થઈ ગયો હતો જેથી તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા રાજેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ (40) નામનો યુવાન ઘર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News