ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE













વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે ચાર શખ્સો બેઠા હતા જેને યુવાને ઠપકો આપ્યો હતો જે મંદિર પાસે બેઠેલા શખ્સોને સારું નહીં લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને ઢીકાપાટુ વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધી હતી અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં સ્મશાન વાળી શેરીમાં રહેતા મનીષભાઈ જગદીશભાઈ ભાટી (24)એ સીટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ પસાભાઈ સેટાણીયા, ભૂરો સેટાણીયા, વિજયભાઈ ઘોઘાભાઈ સેટાણીયા, અને વિક્રમભાઈ વિજયભાઈ સેટાણીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વીસીપરામાં સ્મશાન રોડ ઉપર આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે આરોપીઓ બેઠા હતા જેથી ફરિયાદી યુવાને તેઓને ઠપકો આપ્યો હતો જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે યુવાનને માથામાં હાથે પગે અને વાસાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ
ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ પવનસુત પ્લાસ્ટો પેક એલએલપી નામના કારખાનામાં ત્યાંના માલિકે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી રાખવા માટે કલેકટર નું જાહેરનામું હોવા છતાં પણ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રાખેલ ન હતું જેથી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોશી (47) રહે જેલ રોડ ઇન્ડિયન બેંક ની સામે મોરબી વાળા સામે જાહેરનામા ભંગનો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News