મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી નીચે પટકાતા મહિલાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ફલાસ ખેડી ફળિયા ખામટ ગામના રહેવાસી સાવિત્રીબેન ગરમીયા નિંગવાલ (55) નામની મહિલા કોઈ કારણોસર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પુલ ઉપરથી નીચે પડતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે કુવાડવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માતમાં ઇજા
વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર રહેતા મનીષભાઈ વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય નામનો ૪૫ વર્ષનો યુવાન જૂની પાલિકાના ગોડાઉન પાસેથી જતો હતો ત્યાં અજાણ્યા વાહન હડફેટે ઇજા થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના હડમતીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા રમેશભાઈ માનસિંગભાઈ ભાંભર નામના ૬૦ વર્ષના વૃદ્ધને કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવારમાં અત્રે સીવીલે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના ચોતરાફળી વિસ્તારમાં રહેતા ગૌરીબેન કરસનભાઈ ચાવડા નામના ૬૦ વર્ષના વૃદ્ધા બાઇક પાછળ બેસીને જતા હતા.ત્યારે હળવદ ખાતે આવેલ વૈજનાથ મંદિર પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.આ અકસ્માત બનાવમાં ગૌરીબેનને ઇજા થતાં તેમને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News