મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ


SHARE













હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામનો ખેડૂત તેની જણસ હળવદ યાર્ડમાં વેચીને 1.12 લાખ રૂપિયા લઈને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં કારમાં સાધુના વેસમાં આવેલ શખ્સ સહિતના બે શખ્સે તે ખેડૂતને મંદિરનો રસ્તો પૂછવાના બહાને રસ્તમાં રોકીને તેની પાસેથી રોકડા રૂપિયા 1.27 લાખનો મુદામાલ લૂંટી લીધેલ છે અને ખેડૂતને કારની સાથે ઢસડીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા ખેડૂતોને સારવારમાં ખસેડાયેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી છે.

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામના રહેવાસી અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડુત હળવદ માર્કેટ યાર્ડમાં પોતાના તલ વેચવા માટે આવ્યા હતા. અને તલનું વેચાણ કરીને આવેલ 1.12 લાખ રૂપિયા લઈને તેઓ બાઇકમાં પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે હળવદના કોયબા રોડ ઉપર કારના ચાલકે તેઓના બાઇકને આંતરીને બાઇક ઉભું રખાવ્યું હતું. ત્યારે કારના ડ્રાઇવરે ખેડૂતને મંદિર વિષેની માહિતી પૂછી હતી અને કારમાં સાધુ ભેગા છે તેને ત્યાં જવું છે તેવું કહ્યું હતું જેથી અરજણભાઈએ તેઓને હનુમાન મંદિરનો રસ્તો બતાવ્યો હતો અને ત્યાર બાદ કારના ડ્રાઇવરે તેઓને કહ્યું હતું કે, આવા સાધુ ક્યાંય જોવા નહીં મળે પગે લાગી લો. જેથી અરજણભાઈ તેઓને કારમાં પગે લાગવા ગયા હતા ત્યારે ડ્રાઇવર અને બાપુએ તેઓને પકડી રાખીને તેની પાસે રહેલા 1.12 લાખ રૂપિયા અને તેઓના પાકિટમાં રહેલ 15 હજાર ઝૂંટવી લીધા હતા અને ત્યાર બાદ અરજણભાઈને કારની સાથે ઢસડીને લઈ ગયા હતા અને રસ્તામાં છોડીને કાર લઈને ભાગી ગયા હતા જેથી ઇજા પામેલા ખેડૂતને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.




Latest News