મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત


SHARE







મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને બે યુવાન કામ કરતા હતા ત્યારે કોઈ કારણસર તે બંને યુવાન ઉપરથી નીચે ટકાયા હતા જેથી તે બંને યુવાનોને ગંભીર ઈજા થઈ હોવાના કારણે બંને યુવાનના મોત થવાથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (40) અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા (45) ગામના બે યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કાજ કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેઓ પતરા ઉપરથી નીચે ટકાતા બંને યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બંને યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ હરજીવનભાઈ માનસેતા (65) નામના વૃદ્ધ પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ઇજા થઈ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News