મોરબીના રવાપર નદી ગામે પરણીતાએ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત
SHARE









મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત
મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને બે યુવાન કામ કરતા હતા ત્યારે કોઈ કારણસર તે બંને યુવાન ઉપરથી નીચે પટકાયા હતા જેથી તે બંને યુવાનોને ગંભીર ઈજા થઈ હોવાના કારણે બંને યુવાનના મોત થવાથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (40) અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા (45) ગામના બે યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કાજ કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેઓ પતરા ઉપરથી નીચે પટકાતા બંને યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બંને યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ હરજીવનભાઈ માનસેતા (65) નામના વૃદ્ધ પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ઇજા થઈ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

