માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત


SHARE













મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને બે યુવાન કામ કરતા હતા ત્યારે કોઈ કારણસર તે બંને યુવાન ઉપરથી નીચે ટકાયા હતા જેથી તે બંને યુવાનોને ગંભીર ઈજા થઈ હોવાના કારણે બંને યુવાનના મોત થવાથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (40) અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા (45) ગામના બે યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કાજ કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેઓ પતરા ઉપરથી નીચે ટકાતા બંને યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બંને યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ હરજીવનભાઈ માનસેતા (65) નામના વૃદ્ધ પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ઇજા થઈ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News