મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં બેભાન થઈ જતાં રાજકોટ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE











મોરબીમાં બેભાન થઈ જતાં રાજકોટ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

મોરબીના નાની કેનાલ રોડે રહેતા યુવાનનું આઠેક મહિના પહેલાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે બેભાન થઈ જતા તેને પ્રથમ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જે બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ નજીક રહેતા નીતિનભાઈ નરશીભાઈ મોરડીયા (41) ઘરે બેભાન થઈ ગયા હતા જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નીતિનભાઈ મોરડીયાનું આઠેક મહિના પહેલા મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગત તા. 27/5 ના રોજ તેઓ બેભાન થઈ જતા તેઓને રાજકોટ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતો મનન જીતેન્દ્રભાઈ પરમાર (22) નામનો યુવાન સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News