અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદુર ના રોપાનું વિતરણ


SHARE

















વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદુર ના રોપાનું વિતરણ

પર્યાવરણનું જતન અને સ્વચ્છતા હેતુ વૈશ્વિક સ્તરે સામાજીક જાગૃતિ લાવવા તારીખ ૫ મી મે વિશ્વમાં ઉજવતાપર્યાવરણ દિને સાંસદ તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજના પ્રમુખ વિનોદભાઇ ચાવડા અને અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ દ્વારા જયુબિલી સર્કલ ભુજ મધ્યે સિંદુરના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણાથી “ઓપરેશન સિંદુર” ની ભવ્ય સફળતા રાષ્ટ્ર ની રક્ષાવિર જવાનોની વીરતાની અભિવ્યક્તિ રજૂ કરતાં સિંદુરના છોડ વાવી સદૈવ આપણને પર્યાવરણ
સરક્ષણ-સ્વચ્છતા અભિયાન માટે જાગૃતતા થાય માટે સિંદુરના રોપાનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ગુ.પ્રદેશ ભાજપ મીડિયા યગ્નેશભાઇ દવે,અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, ધવલભાઇ આચાર્ય, મીત ઠક્કર, રાહુલ ગોર, પારૂલબેન કારા, હસ્મિતાબેન ગોર, તાપશ શાહ, મહીદીપસિંહ જાડેજા, અનવર નોડે, માવજીભાઇ ગુસાઇ, મનીષાબેન સોલંકી, રવિભાઈ નામોરી, જયંત ઠક્કર, નગર સેવકો યુવા મોર્ચા, મહિલા મોર્ચા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News