મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન


SHARE











વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન

વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજનું ગૌરવ ઝાપડા રોહિતભાઈ પાંચાભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત આવતા સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો દ્વારા તેના સ્વાગત માટે સામૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ મહેમાન તરીકે પાપનાશણા ઠાકર મંદિર તરણેતરના મહંત પૂજ્ય રોહિતપુરી બાપુ  અને તાલુકા પંચાયતના ચેરમેન જીજ્ઞાસાબેન મેરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ રાજુભાઈ મેર, માજી સરપંચ ભગવાનજીભાઈ મેર, ઉપસરપંચ નારણભાઈ ઝાપડા, ખેતાભાઈ ઝાપડા વગેર આગેવાનો સહિત સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો હાજર રહ્યા હતા. ત્યારે જીજ્ઞાસાબેન મેરે દ્વારા અગ્નિવીર યોજના વિશે ગામ લોકોને માહિત આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, તમામ અગ્નિવીરોને 48 લાખનું નોન-પ્રીમિયમ વીમા કવર મળે છે, ડ્યુટી દરમિયાન મૃત્યુના કિસ્સામાં 44 લાખ રૂપિયાની વધારાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે, અને તાલીમ દરમ્યાન પહેલા વર્ષમાં 21,000,  બીજા વર્ષે 23,000, ત્રીજા વર્ષે 25,000 અને ચોથા વર્ષે 27,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે.






Latest News