મોરબીમાં લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરાશે
મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર
SHARE









મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર
મોરબીમાં આવેલ સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ અમૃતભાઇ પટેલ તથા મનાલીબેન જોષી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લીયા ( મહાદેવગઠ) ગામે લક્ષવીર સિરામિક્સ સોલર પ્લાન્ટ ખાતે ડિરેક્ટર દિપકભાઈ પટેલ તથા અનિલભાઈની હાજરી સાથે ૬૦૦ રોપાનું વાવેતર કરી પર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યત્વે ઓક્સિજન આપતા તથા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેંટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓએ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે ત્યારે આપણે આજે સૌ સંકલ્પ લઈએ અને પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને જીવંત રાખીશું અને ખાસ કરીને “વૃક્ષા વાવો, જીવન બચાવો” ના સૂત્રને સાર્થક કરીશું તેવો સંલક્પ કર્યો હતો.

