ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન


SHARE













વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે યુવાને પોતાની વાડીમાં મગફળીનો પાલો અને જારની કડબના ઢગલો રાખ્યો હતો જે ઢગલામાં તે જ ગામની અંદર રહેતા એક શખ્સે આગ ચાપી દીધી હતી જેથી ખેત પેદાશનો માલ બનીને ખાખ થઈ ગયો હતો જેથી કરીને અંદાજે 65 થી 70 હજાર રૂપિયાનું યુવાનને નુકસાન થયેલ હોય ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા અને ખેતીકામ તથા કરિયાણાની દુકાન ચલાવતા એજાજઅહેમદ ઈસ્માઈલભાઈ માથાકિયા (34)એ હાલમાં રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાલાભાઇ સારલા રહે. મોટા ભોજપરા તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ભોજપરા ગામે પાદરમાં આવેલી તેની વાડીએ ફરિયાદીએ મગફળીનો પાલો તથા જારની કડબના ઢગલા મૂક્યા હતા તેમાં આરોપીએ કોઈ કારણોસર આગ ચાંપી પીધી હતી જેથી ફરિયાદીને ખેતપેદાશનું નુકસાન થયેલ છે જેથી અંદાજે 65 થી 70 હજારનું નુકસાન થયું હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News