મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી
મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ
SHARE









મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ
મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને મોરબી એસપી ઓફિસ ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરુ તેમજ આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મોરબી શહેરમાં નીકળનાર તાજીયા અન્વયે ચર્ચા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. ખાસ કરીને તાજિયા પડમાં આવે ત્યારે વીજ વાયરો, વરસાદી વાતાવરણ વિગેરેના લીધે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી તેમજ કોઈ ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવા અને સમયસર તાજીયા માતમમાં આવે અને કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તેવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી
