ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 1.96 લાખની ચોરી


SHARE













મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 1.96 લાખની ચોરી

મોરબીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના મેન દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલ સોના-ચાંદીના  દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને 1,96,000 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે અને આવી જ રીતે અન્ય બે લોકોના ઘરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં નેશનલ હાઈવે રોડની બાજુમાં આવેલ મધુવન સોસાયટીના બ્લોક નંબર એ-33 માં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા (67)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 23/7 ના રાત્રીના 11:00 વાગ્યાથી લઈને તા. 24/7 ના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે તસ્કર દ્વારા તેઓના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેઓના રહેણાંક મકાન તથા અન્ય બે સાહેદના મકાનમાં પણ ચોરી કરવામાં આવેલ છે જો કે, ફરિયાદીના ઘરે દરવાજાના નકુચાના તાળા તોડીને ઘરની અંદર આરોપીએ પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,96,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, તે પોતાન ઘરે ઉપરના ભાગે સૂતા હતા ત્યારે અજાણ્યા ચોરે તેઓના ઘરમાં નીચેના ભાગના દરવાજાના તાળાં તોડીને પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને ઘટનાને અંજામ આપવામાં આવેલ છે.






Latest News