મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા


SHARE











મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં નવાડેલા રોડ પર રહેતા યુવાનના ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તેની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આધાર પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા 1/8/2020 ના રોજ મોરબીના નવાડેલા રોડ પર રહેતા સકીલ રફીકભાઈ પીઠડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ઘર પાસે રાત્રિના સમયે બહારથી પરત આવેલ તેનો મોટો ભાઈ અનીશ શેરીમાં ઊભો હતો અને થોડીવારમાં તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો અને કેમ કે, અનીશને જાબીછરી મારી હતી અને આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાએ ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને ફરિયાદીના ભાઈને છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીના ભાઈ અનીશ પીઠડીયાને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજયું હતું અને હત્યાના આ બાનવનો કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે 15 સાહેદોને તપસ્યા હતા અને સરકાર પક્ષે 40 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો છે.






Latest News