હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા


SHARE











મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં નવાડેલા રોડ પર રહેતા યુવાનના ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તેની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આધાર પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા 1/8/2020 ના રોજ મોરબીના નવાડેલા રોડ પર રહેતા સકીલ રફીકભાઈ પીઠડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ઘર પાસે રાત્રિના સમયે બહારથી પરત આવેલ તેનો મોટો ભાઈ અનીશ શેરીમાં ઊભો હતો અને થોડીવારમાં તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો અને કેમ કે, અનીશને જાબીછરી મારી હતી અને આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાએ ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને ફરિયાદીના ભાઈને છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીના ભાઈ અનીશ પીઠડીયાને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજયું હતું અને હત્યાના આ બાનવનો કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે 15 સાહેદોને તપસ્યા હતા અને સરકાર પક્ષે 40 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો છે.






Latest News