ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા


SHARE













મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં નવાડેલા રોડ પર રહેતા યુવાનના ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તેની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આધાર પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા 1/8/2020 ના રોજ મોરબીના નવાડેલા રોડ પર રહેતા સકીલ રફીકભાઈ પીઠડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ઘર પાસે રાત્રિના સમયે બહારથી પરત આવેલ તેનો મોટો ભાઈ અનીશ શેરીમાં ઊભો હતો અને થોડીવારમાં તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો અને કેમ કે, અનીશને જાબીછરી મારી હતી અને આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાએ ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને ફરિયાદીના ભાઈને છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીના ભાઈ અનીશ પીઠડીયાને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજયું હતું અને હત્યાના આ બાનવનો કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે 15 સાહેદોને તપસ્યા હતા અને સરકાર પક્ષે 40 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો છે.






Latest News