મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠિકરીયાળા ગામે વાડીએ-રાતાવીરડા નજીક કારખાનામાં ઝેરી દવા પીને એક-એક યુવાનનો આપઘાત


SHARE













વાંકાનેરના ઠિકરીયાળા ગામે વાડીએ-રાતાવીરડા નજીક કારખાનામાં ઝેરી દવા પીને એક-એક યુવાનનો આપઘાત

વાંકાનેરના ઠિકરીયાળા ગામની સીમમાં આવેલ વાડીએ યુવાન પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જ્યારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં યુવાન ઝેરી દવા કે એસિડ પી જતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામે રહેતા મનવીરભાઈ બાબુભાઈ ધોરીયા (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની વાડીએ હતો ત્યારે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે હળવદના ડુંગરપુર ગામે રહેતા વિજયભાઈ કરમશીભાઈ જખવાડિયા (27) નામનો યુવાન રાતાવીરડા ગામની સીમમાં આવેલ અવલ્ટા સીરામીકમાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા અથવા તો એસિડ પી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.




Latest News