મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવક અને યુવતીએ એક જ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવક અને યુવતીના પરિવારજનને આ બનાવની જાણ કરી છે અને આગળની રાતેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં ટોરીસ બાવેર નામના કારખાનાની લેબર કોલોનીમાં લેબર ક્વાર્ટરની અંદર રહેતા મમતાબેન સાલકરામ ઉઇકે (20) રહે મૂળ સોનાઘાટી મધ્યપ્રદેશ તથા મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (23) રહે. મૂળ નઈગામ મધ્યપ્રદેશ વાળાએ વારાફરતી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની શૈલેષભાઈ લાખાભાઈ ચાવડા (29) રહે. હાલ જુના જાંબુડીયા મોરબી મૂળ રહે. મારુતિનંદન સોસાયટી આંબેડકરનગર-4 થાનગઢ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મમતાબેન અને મહેન્દ્રભાઈ બંને એક જ રૂમની અંદર લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે મનદુખ થયું હતું અને પ્રથમ મમતાબેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ મહેન્દ્રભાઈએ મમતાબેનની લાશને નીચે ઉતારીને મમતાના મોતનું તેને મનોમન લાગી આવતા મહેન્દ્રભાઈએ પણ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવક અને યુવતીનું મોત નિપજ્યું છે અને આ બનાવ સંદર્ભે તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવાન અને યુવતી બંને દસેક દિવસ પહેલા અહીં કામ માટે થઈને આવ્યા હતા અને તે બંને એક જ ક્વાર્ટરની અંદર રહેતા હતા જો કે, તેઓ લગ્ન થયેલ હોવાનો કોઈ પુરાવો મળેલ નથી જેથી આ બનાવની મૃતક યુવક અને યુવતીના પરિવારને જાણ કરતા તેમના પરિવારજનો મોરબી આવવા માટે રવાના થયેલ છે.






Latest News