મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવક અને યુવતીએ એક જ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવક અને યુવતીના પરિવારજનને આ બનાવની જાણ કરી છે અને આગળની રાતેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં ટોરીસ બાવેર નામના કારખાનાની લેબર કોલોનીમાં લેબર ક્વાર્ટરની અંદર રહેતા મમતાબેન સાલકરામ ઉઇકે (20) રહે મૂળ સોનાઘાટી મધ્યપ્રદેશ તથા મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (23) રહે. મૂળ નઈગામ મધ્યપ્રદેશ વાળાએ વારાફરતી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની શૈલેષભાઈ લાખાભાઈ ચાવડા (29) રહે. હાલ જુના જાંબુડીયા મોરબી મૂળ રહે. મારુતિનંદન સોસાયટી આંબેડકરનગર-4 થાનગઢ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મમતાબેન અને મહેન્દ્રભાઈ બંને એક જ રૂમની અંદર લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે મનદુખ થયું હતું અને પ્રથમ મમતાબેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ મહેન્દ્રભાઈએ મમતાબેનની લાશને નીચે ઉતારીને મમતાના મોતનું તેને મનોમન લાગી આવતા મહેન્દ્રભાઈએ પણ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવક અને યુવતીનું મોત નિપજ્યું છે અને આ બનાવ સંદર્ભે તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવાન અને યુવતી બંને દસેક દિવસ પહેલા અહીં કામ માટે થઈને આવ્યા હતા અને તે બંને એક જ ક્વાર્ટરની અંદર રહેતા હતા જો કે, તેઓ લગ્ન થયેલ હોવાનો કોઈ પુરાવો મળેલ નથી જેથી આ બનાવની મૃતક યુવક અને યુવતીના પરિવારને જાણ કરતા તેમના પરિવારજનો મોરબી આવવા માટે રવાના થયેલ છે.






Latest News