મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના લાકડધાર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવક-યુવતીએ સજોડે કર્યો આપઘાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવક અને યુવતીએ એક જ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવક અને યુવતીના પરિવારજનને આ બનાવની જાણ કરી છે અને આગળની રાતેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં ટોરીસ બાવેર નામના કારખાનાની લેબર કોલોનીમાં લેબર ક્વાર્ટરની અંદર રહેતા મમતાબેન સાલકરામ ઉઇકે (20) રહે મૂળ સોનાઘાટી મધ્યપ્રદેશ તથા મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (23) રહે. મૂળ નઈગામ મધ્યપ્રદેશ વાળાએ વારાફરતી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની શૈલેષભાઈ લાખાભાઈ ચાવડા (29) રહે. હાલ જુના જાંબુડીયા મોરબી મૂળ રહે. મારુતિનંદન સોસાયટી આંબેડકરનગર-4 થાનગઢ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મમતાબેન અને મહેન્દ્રભાઈ બંને એક જ રૂમની અંદર લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે મનદુખ થયું હતું અને પ્રથમ મમતાબેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ મહેન્દ્રભાઈએ મમતાબેનની લાશને નીચે ઉતારીને મમતાના મોતનું તેને મનોમન લાગી આવતા મહેન્દ્રભાઈએ પણ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવક અને યુવતીનું મોત નિપજ્યું છે અને આ બનાવ સંદર્ભે તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવાન અને યુવતી બંને દસેક દિવસ પહેલા અહીં કામ માટે થઈને આવ્યા હતા અને તે બંને એક જ ક્વાર્ટરની અંદર રહેતા હતા જો કે, તેઓ લગ્ન થયેલ હોવાનો કોઈ પુરાવો મળેલ નથી જેથી આ બનાવની મૃતક યુવક અને યુવતીના પરિવારને જાણ કરતા તેમના પરિવારજનો મોરબી આવવા માટે રવાના થયેલ છે.






Latest News