મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢ ગામે પીવાના પાણીના વધામણા કરતા જિજ્ઞાસાબેન મેર


SHARE













વાંકાનેરના વિનયગઢ ગામે પીવાના પાણીના વધામણા કરતા જિજ્ઞાસાબેન મેર

વાંકાનેરના વિનયગઢ ગામે પીવાના પાણીની સમસ્યા અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી હતી અને સતત પ્રયત્નો થકી વાંકાનેરમાં ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબની વાંકાનેર ગ્રુપ સુધારણા યોજના થકી રંગપર સબ હેડવર્ક્સથી ખૂટતી પાઇપ લાઇન નાખવાનું કાર્ય પૂર્ણ થઈ આજ રોજ વિનયગઢ ગામે પીવાના પાણીની વર્ષોની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ થઈ પીવાનું પાણી શરૂ થતાં ગામ લોકો દ્વારા જિજ્ઞાસાબેન મેરના હસ્તે શ્રીફળ વધેરી નર્મદાના પીવાના પાણીના વધામણાં કરવામા આવ્યા હતા અને ગામલોકોએ જિજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે વિનયગઢ ગામના સરપંચ મૂળજીભાઈ રાઠોડ, વિનયગઢ ગામના તાલુકા ભાજપ મંત્રી જયેશભાઈ ડોંડા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, આજુબાજુ ગામના સરપંચ, માજી સરપંચઓ, રાજુભાઈ મેર, હિરાભાઈ ગણાદીયા, રમેશભાઈ ધરજીયા, ગામલોકો સહિત પાણીપુરવઠા વિભાગના અધિકારી હાજર રહ્યા હતા.




Latest News