મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની આરતી પાછળનો ખર્ચ બચાવીને સમાજની 50 દીકરીઓને આર્થિક સહાય કરાશે
મોરબીમાં મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોનું કરાશે ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ
SHARE
મોરબીમાં મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોનું કરાશે ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ
મોરબી મહાપાલિકા વિસ્તારમાં જુદાજુદા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં આવનાર છે તેના માટે મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 1.03 કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે સાંસદો, ધારાસભ્યોએ સહિતના હાજર રહેશે.
મોરબીમાં મંગળવાર તા. 30/09 ના રોજ શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામેના ભાગમાં સાંજે 05:30 કલાકે નવા કામોનું ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેશે તેમજ મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી, મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.