મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ


SHARE











મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખીને મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બરવાળા ગામેથી બગથળા  ગામને જોડતો રોડ જે આજે આઝાદીના ૭૮ વર્ષથી પણ વધારે વર્ષો થયા હોવા છતાં  કાચો રોડ છે..! તે બનાવવા માંગ કરેલ છે.

આ રોડ ઉપર બરવાળાથી બગથળા જવા માટે લોકો તેનો  ઉપયોગ કરે છે.પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી.બરવાળા ગામની તમામ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે.જેમ કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળાના કામો માટે આ રોડ ખુબ જ અગત્યનો છેતે ઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાનની પ્રસિદ્ધિ જગ્યાના દર્શન માટે જવા માટે આ રોડનો ઉપયોગ કરતા હોય છે.તેથી લોકોવતી માંગણી છે કે આ રોડને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ પણ રજૂઆતમાં જણાવવામાં આવેલ છે.






Latest News