કરુણા હેલ્પલાઈન: મોરબી જિલ્લામાં 8 વર્ષમાં 21 હજારથી વધુ પશુ-પક્ષીઓને સારવારથી નવજીવન મળ્યું
વિકાસ સપ્તાહ અંતર્ગત વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
SHARE







વિકાસ સપ્તાહ અંતર્ગત વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
વિકાસ સપ્તાહ અંતર્ગત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા લોકોની સુખકારીમાં વધારો કરવા માટે જે કામગીરી કરવામાં આવે છે તેની માહિતી લોકોને આપવામાં આવી હતી.
આ તકે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનશક્તિ, જળ શક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ પાંચ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. આજે વંચિત અને છેવાળાના લોકો સુધી સરકાર પહોંચી છે અને યોજનાઓની અસરકારક અમલવારી શક્ય બની છે. સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગામડાની વિભાવના બદલી છે, આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો થતી ગામડાઓ વિકસિત બન્યા છે. ગામડાઓમાં વિશાળ પ્રમાણમાં રોજગારીઓનું સર્જન કરવામાં આવ્યું છે તથા પીએમ કિસાન શનિધિ સહિતની અનેક યોજનાઓએ ખેડૂતોને સબળ બનાવ્યા છે.
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જન જન સુધી વિકાસની ફલશ્રુતિ પહોંચાડવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ અને ગુજરાતમાં થયેલ વિકાસ થકી આજે સામાન્ય વ્યક્તિના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વધુમાં મંત્રીની ઉપસ્થિતિમાં વઘાસિયા ગામના તળાવના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી નાણાકીય રાશી ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને વિકાસ ભારત પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી.સાનિયા, ટીડીઓ સહિતના અધિકારી અને ગામના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.
