તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ


SHARE











મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ

મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ કોટ્ર દ્રારા ફટકારાયેલ છે.જેની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી કીશન સેલ્સ એજન્સીના માલીક ભરતભાઈ સોમાભાઈ બજાણીયા ત્રાજપર મોરબીની ફરીયાદ એવી છે કે ફરીયાદી મોરબી કીશન સેલ્સ એજન્સીના નામથી વેપાર કરીએ છીએ અને આ કામના સામેવાળા સાઈનાથી પેન્ટીંગ વર્કસના નામથી ઘંઘો કરે છે.ફરીયાદી અને સામેવાળા વચ્ચે ઘણા લાંબા સમયથી ધંધાકીય સંબંધ હોવાથી આ કામના આરોપીઓ નં (૧) ઓમ સાંઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપસાદભાઈ પાઠકને મીત્રતાના દાવે રૂા.૫,૦૦,૦૦૦ અંકે રૂપીયા પાંચ લાખ પુરા ઉછીના આપેલા અને ત્યારબાદ ઉઘરાણી કરતા આ કામના આરોપીઓએ  ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક અડાજણ શાખાનો રકમ રૂા.૫,૦૦,૦૦૦ નો ચેક આપેલ અને આ ચેક આપતી વખતે આરોપીઓએ અમો ફરીયાદીને એવુ વચન અને વિશ્વાસ આપેલ કે ચેક બેંકમાં નાખતા નાણા રોકડમા મળી જશે જેથી આ કામના ફરીયાદીએ ચેક તા.૨૪-૯-૨૦૨૦ ના રોજ ફરીયાદી ની બેંક બેક ઓફ બરોડામાં નાખતામાં સદર ચેક તા.૨૮-૯-૨૦૨૦ ના રોજ સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફરેલ જેની જાણ ફરીયાદીને તા.૨૮-૯-૨૦૨૦ ના બેંકના રીટન મેમાથી થયેલ.

 

આમ આરોપીઓએ જાણી જોઈને સમજી વિચારીને સ્ટોપ પેમેન્ટ કરાવીને ફરીયાદીને ચેકની રકમ વસુલ થવા દીધેલ નહી ત્યારબાદ ચેક રીટન થયા બાદ ફરીયાદીએ વકીલ ધ્વારા તા. ૧૫-૧૦-૨૦ ના રોજ ડીમાન્ડ નોટીશ મોકલેલ જે નોટીશ આ કામના આરોપીઓને તા.૨૦-૧૦-૨૦ ના રોજ મળી ગયેલ પરંતુ તે નોટીશ મળયા બાદ પણ આ કામના આરોપીઓએ નોટીશમાં જણાવેલ સમય મર્યાદામાં કોઈપણ જાતનો જવાબ આપેલ નહી કે ફરીયાદીને ચેક મુજબની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદીએ વકીલ મારફત તા. ૧૦-૧૧-૨૦ ના રોજ થી નેગો. ઈન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ તમામ આરોપીઓને બજયા બાદ તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ત્યારબાદ ફ્રી. પ્રો.કોડ ની કલમ ૨૦૭ અન્વયે ફરીયાદને લગતા કાગળોની કોપી આરોપીઓને આપેલ ત્યારબાદ કેશ આગળ ચાલેલ અને ત્યારબાદ ફરીયાદ પક્ષ ધ્વારા પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ ધ્વારા કરવામાં આવેલ તમામ દલીલો માન્ય રાખી અને તમામ રેકર્ડ વંચાણે લઈ આરોપીઓ (૧) ઓમ સાઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપ્રસાદભાઈ પાઠકને નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકક્ષીર વાન ઠરાવવામાં આવેલ અને ૧ વર્ષ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ અને ચેકની બાકી નીકળતી રકમ રૂા.૫,૦૦,૦૦૦ ની ડબલ રકમ રૂા.૧૦,૦૦,૦૦૦ દંડ ફરમાવવામાં આવેલ છે.તે દંડમાથી ફરીયાદીની ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વારસીક ૯ ટકાના વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીઓને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરવવામાં આવેલ છે.આ કામમાં ફરીયાદી તરફે મોરબીના વિધ્વાન ઘારાશાસ્ત્રી જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનીલભાઈ જે.ઓઝા રોકાયેલા હતા.






Latest News