મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ


SHARE



























મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ

મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ કોટ્ર દ્રારા ફટકારાયેલ છે.જેની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી કીશન સેલ્સ એજન્સીના માલીક ભરતભાઈ સોમાભાઈ બજાણીયા ત્રાજપર મોરબીની ફરીયાદ એવી છે કે ફરીયાદી મોરબી કીશન સેલ્સ એજન્સીના નામથી વેપાર કરીએ છીએ અને આ કામના સામેવાળા સાઈનાથી પેન્ટીંગ વર્કસના નામથી ઘંઘો કરે છે.ફરીયાદી અને સામેવાળા વચ્ચે ઘણા લાંબા સમયથી ધંધાકીય સંબંધ હોવાથી આ કામના આરોપીઓ નં (૧) ઓમ સાંઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપસાદભાઈ પાઠકને મીત્રતાના દાવે રૂા.૫,૦૦,૦૦૦ અંકે રૂપીયા પાંચ લાખ પુરા ઉછીના આપેલા અને ત્યારબાદ ઉઘરાણી કરતા આ કામના આરોપીઓએ  ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક અડાજણ શાખાનો રકમ રૂા.૫,૦૦,૦૦૦ નો ચેક આપેલ અને આ ચેક આપતી વખતે આરોપીઓએ અમો ફરીયાદીને એવુ વચન અને વિશ્વાસ આપેલ કે ચેક બેંકમાં નાખતા નાણા રોકડમા મળી જશે જેથી આ કામના ફરીયાદીએ ચેક તા.૨૪-૯-૨૦૨૦ ના રોજ ફરીયાદી ની બેંક બેક ઓફ બરોડામાં નાખતામાં સદર ચેક તા.૨૮-૯-૨૦૨૦ ના રોજ સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફરેલ જેની જાણ ફરીયાદીને તા.૨૮-૯-૨૦૨૦ ના બેંકના રીટન મેમાથી થયેલ.

 

આમ આરોપીઓએ જાણી જોઈને સમજી વિચારીને સ્ટોપ પેમેન્ટ કરાવીને ફરીયાદીને ચેકની રકમ વસુલ થવા દીધેલ નહી ત્યારબાદ ચેક રીટન થયા બાદ ફરીયાદીએ વકીલ ધ્વારા તા. ૧૫-૧૦-૨૦ ના રોજ ડીમાન્ડ નોટીશ મોકલેલ જે નોટીશ આ કામના આરોપીઓને તા.૨૦-૧૦-૨૦ ના રોજ મળી ગયેલ પરંતુ તે નોટીશ મળયા બાદ પણ આ કામના આરોપીઓએ નોટીશમાં જણાવેલ સમય મર્યાદામાં કોઈપણ જાતનો જવાબ આપેલ નહી કે ફરીયાદીને ચેક મુજબની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદીએ વકીલ મારફત તા. ૧૦-૧૧-૨૦ ના રોજ થી નેગો. ઈન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ તમામ આરોપીઓને બજયા બાદ તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ત્યારબાદ ફ્રી. પ્રો.કોડ ની કલમ ૨૦૭ અન્વયે ફરીયાદને લગતા કાગળોની કોપી આરોપીઓને આપેલ ત્યારબાદ કેશ આગળ ચાલેલ અને ત્યારબાદ ફરીયાદ પક્ષ ધ્વારા પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ ધ્વારા કરવામાં આવેલ તમામ દલીલો માન્ય રાખી અને તમામ રેકર્ડ વંચાણે લઈ આરોપીઓ (૧) ઓમ સાઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપ્રસાદભાઈ પાઠકને નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકક્ષીર વાન ઠરાવવામાં આવેલ અને ૧ વર્ષ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ અને ચેકની બાકી નીકળતી રકમ રૂા.૫,૦૦,૦૦૦ ની ડબલ રકમ રૂા.૧૦,૦૦,૦૦૦ દંડ ફરમાવવામાં આવેલ છે.તે દંડમાથી ફરીયાદીની ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વારસીક ૯ ટકાના વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીઓને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરવવામાં આવેલ છે.આ કામમાં ફરીયાદી તરફે મોરબીના વિધ્વાન ઘારાશાસ્ત્રી જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનીલભાઈ જે.ઓઝા રોકાયેલા હતા.






Latest News