મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ


SHARE











વાંકાનેરમાં યુવાનની હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

વાંકાનેરમાં મિત્ર સાથે થયેલ ઝઘડો પતાવવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને એક બાળ કિશોરને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી કરી હતી.
 
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (20)ના મિત્ર વિપુલ સાથલીયાને અન્ય શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. જેથી સમાધાન કરીને ઝઘડો પતાવવા માટે ધ્રુવ પોતાના મિત્ર દિપક પરેચા અને વિપુલ સાથલીયા સાથે નવાપરા વિસ્તારમાં વાસુકી દાદાના મંદિર નજીક ગયો હતો ત્યારે ત્યાં આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી રહે. ત્રણેય નવાપરા, વાંકનેર અને કાનો દેગામા રહે. વિશીપરા, વાંકાનેર વાળા સહિત કુલ પાંચ વ્યક્તિ ત્યાં હાજર હતા અને સમાધાન માટેની વાતચીત ચાલી રહી હતી તેવામાં ધ્રુવ, દિપક અને વિપુલને ઘેરી લીધા હતા અને બેફામ માર માર્યો હતો. અને ત્યારે આરોપીઓએ ધ્રુવ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જેથી ગંભીર ઇજા પામેલા ધ્રુવ કેરવાડીયા લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, ધ્રુવ કેરવાડીયાને જોઈ તપાસીને ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પ્રફુલ્લભાઈ કેશુભાઈ કેરવાડીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે વાંકાનેરના સીટી પીઆઇ એચ.એ. જાડેજા તથા તેઓની ટીમ દ્વારા આરોપી સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી અને કાનો દેગામાની ધરપકડ કરવામાં આવેલ છે અને હત્યાના આ બનાવમાં એક બાળકિશોરનો પણ સમાવેશ થતો હોય પોલીસે તેને ડિટેઇન કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News