મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

દર્દીની શ્રેષ્ઠ સારવાર કેવી રીતે આપવી..? : મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE











દર્દીની શ્રેષ્ઠ સારવાર કેવી રીતે આપવી..? : મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીક અને એપલ હોસ્પીટલને છ વર્ષ પૂર્ણ થતા આયોજન

મોરબી શહેરમા છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત અને વિવિધ એવોર્ડ મેળવનાર સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકનું છ વર્ષ પહેલા ડો.જયેશભાઈ સનારીયા દ્વારા શહેરની એપલ હોસ્પીટલમા સ્થળાંતર કરવામા આવ્યુ હતુ.સ્પર્શ ક્લીનીકને એપલ હોસ્પીટલમા છ વર્ષ પૂર્ણ થતા છઠી વર્ષગાંઠ નિમિતે દર્દીઓની ઉત્કૃષ્ઠ સારવાર કઈ રીતે કરવી..?, દર્દી તેમજ તેમના સગા સાથે કઈ રીતે વર્તન કરવું..? દર્દીની સારવાર દરમિયાન શુ કાળજી રાખવી..? સારવાર બાદ સમયાંતરે સંપર્ક કરી આરોગ્ય વિષયક માર્ગદર્શક પૂરું પાડવું અને આજના હરીફાઈના જમાનામાં સારા માણસ કઈ રીતે બનવું? તે વિષય ઉપર અમદાવાદની રિજુવા એસથેટીકા હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ.અર્થ શાહ દ્વારા સેમિનાર આયોજીત કરવામા આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના નાયબ કલેકટર એન.કે.મુચ્છાર ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્શ ટીમના દરેક સભ્યોને અલગ-અલગ સિધ્ધી બદલ એવૉર્ડ આપી સન્માનિત કર્યાં હતા. આજના ભાગદોડના સમયમાં પોતાના અને આધ્યાત્મિક વિકાસ માટે સમય કાઢીને સમાજને મહત્તમ મદદ કઈ રીતે કરી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.તદઉપરાંત સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકના ડાયરેક્ટર ડો.જયેશ સનારીયા તથા ડો.મનીષ સનારીયા(બાળરોગ નિષ્ણાંત ) દ્વારા બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ યર-૨૧ નો એવોર્ડ કાજલ બોખાણી તથા ત્રિભોવનભાઈ રાંકજાને એનાયત કરવામા આવ્યો હતો.આ પ્રસંગે મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડૉ.જયદીપ કાચરોલા પણ હજાર રહયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં બેસ્ટ ક્લીનીકનો એવોર્ડ મેળવનાર સ્પર્શ ક્લીનીક દ્વારા સ્કીન,વાળ, કોસ્મેટીક, લેસર તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન તેમજ ઉત્કૃષ્ઠ સારવાર છેલ્લા ૧૪ વર્ષથી કરવામાં આવી રહી છે.આ તકે ડો.જયેશ સનારીયા તથા ડો.શિતલ સનારીયા દ્વારા લોકોએ તેમના ઉપર મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News