મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના


SHARE











મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના

મોરબીના મહેન્દ્રનગર ગામથી દર વર્ષે બહુચરાજી માતાજી મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે 17 માં વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 200 જેટલા ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.

પદયાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઇ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ  અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવે છે દર વર્ષે ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી મોરબીથી લોકો બહુચરાજી મંદિર સુધી પદયાત્રા કરીને જય છે અને માતાજીની દર્શનનો લાભ લેતા હોય છે આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ છે અને એક કે બે નહીં પરંતુ છેલ્લા 17 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ, એકતા, ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આ પદયાત્રા દ્વારા આપવામાં આવે છે. જેથી ત્રીજના દિવસે મહેન્દ્રનગર ગામથી “જય બહુચરાજીના નાદ સાથે આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. અને યાત્રામાં જોડાયેલા ભક્તો માટેની તમામ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News