મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

ભાજપ સંગઠન-ગુજરાત સરકારમાં બ્રહ્મસમાજ સાથે થઇ રહ્યો છે અન્યાય: મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ


SHARE





ભાજપ સંગઠન-ગુજરાત સરકારમાં બ્રહ્મસમાજ સાથે થઇ રહ્યો છે અન્યાય: મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ

ભાજપ દ્વારા ગુજરાત સરકાર અને સંગઠનમાં બ્રહ્મસમાજને અન્યાય  કરવામાં આવે છે તેવી રાવ સાથે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખને પત્ર લખાયો છે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ ડો. બી કે લહેરુએ જે પત્ર લખેલ છે તેમાં જણાવ્યુ છે કે, હાલના સમયમાં ગુજરાત સરકારના નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી જેમાં બ્રહ્મસમાજના ધારાસભ્યોને મંત્રી મંડળમાં પુરતું સ્થાન આપવામાં આવેલ નથી જે દુખદ બાબત છે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વરા વર્ષ ૨૦૨૨ માં ઉમેદવાર પસંદગી માટે બનાવવામાં આવેલ પાર્લામેન્ટ કમિટીમાં પણ એકપણ બ્રાહ્મણોને સ્થાન આપવામાં આવ્યું ના હતું બ્રહ્મ સમાજ ભાજપના સંગઠનનો પાયાનો પથ્થર હોવા છતાં સરકાર અને સંગઠનમાં જાણીજોઇને અવગણના કરવામાં આવી રહી હોય તેવું અનુભવી રહ્યા છીએ. વડીલોએ પાર્ટી ઉભી કરવામાં લોહી રેડ્યું છે છતાં આજે ભાજપમાં અમોને અવગણવામાં આવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે જેથી બ્રહ્મસમાજની લાગણી અને માંગણીને ધ્યાને લઈને આગામી સમયમાં સરકાર અને સંગઠનમાં યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે




Latest News