મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ભાજપ સંગઠન-ગુજરાત સરકારમાં બ્રહ્મસમાજ સાથે થઇ રહ્યો છે અન્યાય: મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ


SHARE













ભાજપ સંગઠન-ગુજરાત સરકારમાં બ્રહ્મસમાજ સાથે થઇ રહ્યો છે અન્યાય: મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ

ભાજપ દ્વારા ગુજરાત સરકાર અને સંગઠનમાં બ્રહ્મસમાજને અન્યાય  કરવામાં આવે છે તેવી રાવ સાથે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખને પત્ર લખાયો છે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ ડો. બી કે લહેરુએ જે પત્ર લખેલ છે તેમાં જણાવ્યુ છે કે, હાલના સમયમાં ગુજરાત સરકારના નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી જેમાં બ્રહ્મસમાજના ધારાસભ્યોને મંત્રી મંડળમાં પુરતું સ્થાન આપવામાં આવેલ નથી જે દુખદ બાબત છે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વરા વર્ષ ૨૦૨૨ માં ઉમેદવાર પસંદગી માટે બનાવવામાં આવેલ પાર્લામેન્ટ કમિટીમાં પણ એકપણ બ્રાહ્મણોને સ્થાન આપવામાં આવ્યું ના હતું બ્રહ્મ સમાજ ભાજપના સંગઠનનો પાયાનો પથ્થર હોવા છતાં સરકાર અને સંગઠનમાં જાણીજોઇને અવગણના કરવામાં આવી રહી હોય તેવું અનુભવી રહ્યા છીએ. વડીલોએ પાર્ટી ઉભી કરવામાં લોહી રેડ્યું છે છતાં આજે ભાજપમાં અમોને અવગણવામાં આવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે જેથી બ્રહ્મસમાજની લાગણી અને માંગણીને ધ્યાને લઈને આગામી સમયમાં સરકાર અને સંગઠનમાં યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે






Latest News