મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ


SHARE





વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ

વાંકાનેરના રાણેકપર ગામે રહેતા યુવાનના ખેતરમાં માલ ઢોરને ચરાવીને ભેલાણ કરવામાં આવ્યું હતું અને યુવાન તથા સાહેદોને ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો કરીને યુવાન સહિતનાઓને માથા અને શરીરે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ કુલ 17 શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા અલ્તાફભાઈ હુસેનભાઇ માથકિયા (42)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે છગનભાઈ હીરાભાઈ ગીંગોરા, છગનભાઈનો દીકરો, ગોપાલભાઈ સીધાભાઈ ગીગોરા, છેલાભાઈ સીધાભાઈ ગીગોરા, મંગાભાઈ હીરાભાઈ ગીંગોરા, વિષ્ણુભાઈ મોનાભાઈ મુંધવા, વીરમ જેમાભાઇ મુંધવા, ભુપતભાઈ ગેલાભાઈ મુંધવા, નારુભાઈ સામતભાઈ મુંધવા, સંજયભાઈ ભગાભાઈ મુંધવા, માયાભાઈ રૈયાભાઇ ડાભી, ભાવેશભાઈ ગેલાભાઈ મુંધવા, રવિભાઈ ગેલાભાઈ મુંધવા, પ્રવીણભાઈ છેલાભાઈ મુંધવા, વિહાભાઇ પુનાભાઈ મુંધવા, નવઘણભાઈ પુનાભાઈ મુંધવા અને મોનાભાઈ ભુવાનો ભાણેજ રહે બધા રાણેકપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, રાણેકપર ગામની સીમમાં પીપરા વાડીએ ફરિયાદીની વાડીમાં છગનભાઈ અને તેના દીકરાએ ગેરકાયદે પ્રવેશ કરીને તેના માલ ઢોરને કપાસના પાકમાં રાવી ભેલાણ કર્યું હતું અને બોલાચાલી કરી હતી ત્યારબાદ આરોપીઓ એક સંપ કરીને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા ઇજા પામનારાઓને ગાળો આપવામાં આવી હતી અને ધોકા, પાઇપ અને ધારિયા વડે સાહેદને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતનાઓને સારવાર માટે લઈ ગયા હતા ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ મળીને 17 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News