તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા દર્દીઓને દવા-લેબોરેટરીમાં રાહત માટે મેડિકલ સ્ટોર ખુલ્લો મુકાયો


SHARE











મોરબીમાં ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા દર્દીઓને દવા-લેબોરેટરીમાં રાહત માટે મેડિકલ સ્ટોર ખુલ્લો મુકાયો

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જો કે, હવે દર્દીઓને દવા એકદમ સ્તા ભાવે મળે તેના માટે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરવામાં આવેલ છે અને તેના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ઉપરાંત રાજકીય આગેવાનો ઉદ્યોગકારો સહિતના લોકો હાજર રહ્યા હતા.

મોરબીના રામચોક પાસે આવેલ સિલ્વર પ્લાઝામાં શનિવારે તા 8 નવેમ્બરથી ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરવામાં આવી છે ત્યાંથી દરેક દર્દીઓને ડોક્ટરના પ્રિસ્કિપ્શન મુજબની દવાઓ પડતર ભાવે આપવામાં આવશે. તેમજ લેબોરેટરીમાં 50 ટકાના દરે કરી આપવામાં આવશે. આ સેવાકીય પ્રકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે બગથળા નકલંકધામના મહંત દામજી ભગત, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને આ સેવાકીય પ્રવૃતિના મુખ્ય દાતા હિરેનભાઈ દોશી છે. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ખાસ કરીને દર્દીઓને દવા ઓછા ખર્ચે મળી રહે તેવી ભાવના સાથે જે સેવા કર્યા શરૂ કરવામાં આવ્યું છે તેની સહુ કોઈએ પ્રસંશા કરી હતી. 






Latest News