હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો


SHARE













મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો

મોરબીના રાજપર ગામે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે લોકોને પીવા માટે સપ્લાય કરવામાં આવે છે જોકે, આ પાણી છેલ્લા કેટલાક દિવસોથી દુર્ગંધ વાળું આવતું હતું અને શનિવારે જે પાણી ગામના સંપ સુધી મોકલવામાં આવ્યું તેમાં મૃત માછલાઓ પણ પાણી સાથે આવ્યા હોવાથી આ બાબત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવા સમાન હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ચોમાસાએ હજુ તો વિદાય લીધી છે અને સ્થાનિક જળાશયો પાણીથી છલોછલ ભર્યા છે તેમ છતાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર દૂષિત પાણીની સપ્લાય થતી હોય તેવી રાવ છેલ્લા દિવસોથી ઉઠી રહી છે તેવામાં મોરબી નજીકના રાજપર ગામના સરપંચ ભરતભાઇ પાસેથી જાણવા મળતી વિગતે પ્રમાણે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી તેઓના ગામના સંપમાં નર્મદાની લાઈન મારફતે હરીપર સંપથી પાણી મોકલાવવામાં આવે છે તે પાણી દૂષિત પાણી હોય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગામના લોકો કરતા હતા તેવામાં શનિવારે જે પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું તેમાં પાઇપલાઇન મારફતે મૃત હાલતમાં માછલાઓ રાજપર ગામના સંપ સુધી આવ્યા હતા જેથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા જેવી બાબત સામે આવી હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે ત્યારે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને રાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળે તેવી લાગણી રાજપર ગામના સરપંચ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News