મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતા એક યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બે બાઈક અથડાતા એક યુવાનનું મોત: ગુનો નોંધાયો

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઇકને બીજા બાઈકના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પામેલ એક યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે ઇજા પામેલા બીજા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરમાં ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) નામનો યુવાન તેના મિત્રની સાથે રવિવારે રાત્રે આઠેક વાગ્યા આસપાસ ડબલ સવારી બાઇકમાં ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે બાઇક ચાલક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ કેતનભાઇ ખીમાભાઈ રાઠોડને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હાલમાં રાતી દેવડી ગામે રહેતા રાહુલભાઈ મનુભાઈ વોરા (19)એ બાઇક નંબર જીજે 36 એએ 3561 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) બંને બાઈક નંબર જીજે 36 એજી 0390 લઈને વાંકાનેર થી મોરબી જતા નેશનલ હાઈવે રોડ ઉપર ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા નજીક ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બેફિકરાયથી તેનું વાહન ચલાવીને ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું કે બનાવમાં ફરિયાદીને ઇજા થયેલ હતી જો કે, કેતનભાઇ ખીમાભાઈ રાઠોડને વધુ ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવારમાં મોત નીપજયું છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અને તેનું અકસ્માતના બનાવમાં મોત નિપજતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે,






Latest News