મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ


SHARE











મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી સામે વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂનો જથ્થો કબ્જે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે હિતેષભાઇ ચાવડા તથા રવીભાઇ ચૌધરીને બાતમી મળેલ હતી કે, રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલાના કબ્જા ભોગવટા વાળા વાડામા દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વાડામા આરોપી હાજર મળી આવ્યો હતો અને ત્યાંથી દારૂની કુલ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂ કબ્જે કરીને આરોપી પીંટુભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા (29) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પૂછપરછમાં માલ મોકલનાર તરીકે દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. બિયાવર, રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ એસ.વી.દાફડા, કે.એમ.મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઇ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવિભાઇ પટેલ, અશ્વિનસિંહ સુરનાઓએ કરી હતી.






Latest News