માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા યુવાનનું ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યાવહી કરવામાં આવેલ છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા (35) નામનો યુવાન પોતે પોતાને ઘરે હતો ત્યારે કોઈ પણ કારણોસર તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ગૌતમભાઈ ચાવડા પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની તપાસ કરી રહેલા સતિશભાઈ ગરચર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા સાંતલપુર ખાતે રેલ્વેમાં નોકરી કરતાં હતા અને તેઓ મોરબી આવ્યા હતા દરમ્યાન તેનું તેના ઘરે મોત નીપજયું છે અને આ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજયું હોવાનું હાલમાં ડોક્ટરે જણાવ્યુ છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News