મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડી કેપિટલ માર્કેટએ કામ સબબ ગયેલ યુવાન એકટીવા મૂકીને ગુમ, શોધખોળ શરૂ


SHARE











મોરબીની રવાપર ચોકડી કેપિટલ માર્કેટએ કામ સબબ ગયેલ યુવાન એકટીવા મૂકીને ગુમ, શોધખોળ શરૂ

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે બેંકના કામસર ગયા બાદ ત્યાં એકટીવા મૂકીને યુવાન ગુમ થઈ ગયો છે.જે અંગે તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને યુવાનની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા કાનજીભાઈ મંગાભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૫૦) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે, તેમનો દીકરો ખુશાલભાઇ કાનજીભાઈ સોલંકી (ઉમર ૨૫) રહે.રોહીદાસપરા વીસીપરા મોરબી ગત તા.૧૦ ડિસેમ્બરના બપોરના ૧૧ વાગ્યાના અરસામાં બેંકના કામસર રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ નજીક ગયો હતો અને ત્યાં તેનું એકટીવા મૂકીને કોઈ કારણોસર ક્યાંક ગુમ થઈ ગયેલ છે.જેની ઘરમળે શોધખોળ કરવા છતાં ખુશાલની ભાળ મળી આવેલ નથી.હાલ પોલીસ દ્વારા આ બાબતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી છે અને ગુમ થયેલા ખુશાલ સોલંકીની પોલીસ દ્વારા આગળ શોધખોળ શરૂ કરાયેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક આવેલ બ્લેકબેરી સીરામીક પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ત્યાં રહેતા રાજુ રામચંદ્ર નામના ત્રીસ વર્ષનો યુવાન ઈજાગ્રસ્ત થયેલ હોય તેને સારવાર માટે અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાનના રસ્તે આવેલ એડોન સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના તુલસાબેન રાજમલભાઈ માલવી નામની ૧૭ વર્ષીય સગીરા તેના લેબર કવાટર ખાતે ગળેફાંસો ખાઈ ગઇ હતી.જેથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસ દ્વારા જણાવાયા મુજબ પિતા દ્વારા વધુ પ્રમાણમાં મોબાઇલ ચલાવવાની ના પાડી હોય તે બાબતનું મનમાં લાગી આવતા તુલસાબેન માલવીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.મોરબીના હળવદ રોડ નીચી માંડલ ગામ પાસે આવેલ ટાઇલ્સના કારખાનામાં કોઈ કારણોસર ઝઘડો થયા બાદ સામેવાળાએ માથાના ભાગે સળીયો મારી દેતા બિંદુબવઇ સકલભાઇ પાસવાન (૩૬) ને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સેવા સદન પાસેની ધર્મ સિદ્ધિ સોસાયટી નજીક બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં યોગેન્દ્રભાઈ પ્રેમાનંદ પુરોહિત (૪૬) રહે.હરિઓમ એપાર્ટમેન્ટ મોરબી ને ઈજાઓ થઈ હોય તેને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં દેવાનંદ તિવારી (૩૦) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠેને ગંભીર ઇજાઓ થઈ હોય વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.મોરબી તાલુકાના નવાગામ અને લીલાપર ગામ વચ્ચે આવેલ આજવીટો સિરામિક પાસે મારામારીના બનાવમાં ઈજા પામેલા સુનિલ ભરતભાઈ વરાણીયા (૨૪) રહે.લીલાપર રોડ નવાગામને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News