હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો


SHARE













મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો

મોરબીમાં થોડા સમય પહેલા કોઈ કારણોસર ઘરે કોઈને કહ્યા વિના દુકાન ખાતેથી યુવાન ગુમ થઈ ગયેલ હતો.તે યુવાન હેમખેમ પરત ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની કુંભારશેરીમાં મહેન્દ્રપરા નજીક રહેતા સંજયભાઈ કાંતિભાઈ ભલસોડ (પ્રજાપતિ) નામનો ૩૮ વર્ષનો યુવાન તેની દુકાન ખાતેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતો.જે બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેની પોલીસ તપાસ કરતી હતી.દરમિયાનમાં ગુમ થયેલ સંજયભાઈ ભલસોડ હેમખેમ પરત ઘરે આવી ગયા હતા અને પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે ધંધામાં ગયેલી ખોટ અને દેણાને પગલે તે કંટાળી ગયા હોય પોતાની મરજીથી કામની શોધમાં રાજકોટ ચાલ્યા ગયા હતા.જે પરત આવી ગયેલ હોય હાલ પરિવાર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.તેમ પોલિસસૂત્રોએ જણાવેલ છે.

પોલીસ કાર્યવાહી

મોરબીના મકરાણીવાસ પાસે નાની બજાર વિસ્તારમાંથી રેડ કરીને પોલીસે સમીર બ્લોચ પાસેથી ૯૪ પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી પોલીસે પકડી હતી અને જેમાં જે તે સમયે કાર્યવાહી કરવામાં આવી હતી અને પકડાયેલી વ્યક્તિ દ્વારા જથ્થો આપનાર તરીકે જેનું નામ આપવામાં આવ્યું હતું.તે ચિરાગ સંજયભાઈ રાબડીયા (૨૫) રહે.ધોરાજી સ્ટેશન રોડ કોલેજ પાસે રામજી મંદિર સામે જી.રાજકોટને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રેન બસેરા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા પ્રીતમભાઇ મુકેશભાઈ જોશી નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જાંબુડીયા પાસે મોટો ગ્રેનાઇટો પાસે રહેતા રમેશભાઈ નાનજીભાઈ ખટાણા નામના ૪૨ વર્ષીય યુવાનને મોરબીની વીસી હાઇસ્કુલ પાછળના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર વણાંકમાં બાઈક સ્લીપ થઈ જતા અહેમદ અસ્લમભાઈ પાયક રહે.હરીપર તા.માળીયા મીયાણાને ઇજાઓ થતા સારવારમાં આયુષ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ નાની કેનાલ પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ રમેશભાઈ માધવજીભાઈ કાસુન્દ્રા (૪૭) રહે.કામધેનુ પાર્ટી પ્લોટ સામે કંડલા બાયપાસ રોડને પણ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના રેલ્વે સ્ટેશન પાસેના વૃદ્ધાશ્રમ ખાતે રહેતા ચંપાબેન ગોપાલભાઈ પિત્રોડા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને છાતીમાં દુખાવો ઉપડતા ૧૦૮ વડે અત્રેની સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News