મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી કામગીરી કરવા સૂચન કરતાં મંત્રી


SHARE













મોરબીમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી

ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી કામગીરી કરવા સૂચન કરતાં મંત્રી

ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. તેમણે પીજીવીસીએલની વર્તુળ કચેરી કચેરી ખાતે મોરબી પીજીવીસીએલના અધિકારી, કર્મચારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ મોરબી વર્તુળ પીજીવીસીએલ કચેરીની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.મોરબી જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરી હતી અને કોઈપણ યોજનામાં ૧૦૦ ટકા સિદ્ધિએ અટકી નહીં જતા આગળ પણ વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પોલીસી બનાવ્યા પછી તેની અમલવારીમાં યોગ્ય ઝડપ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

મંત્રીએ ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી તે તરફ કામગીરી કરવા સૂચન કર્યું હતું.લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પીજીવીસીએલ તથા જેટકો વચ્ચે યોગ્ય કોડીનેશન રહે તે અનિવાર્ય છે તેવું જણાવી તેમણે કોન્ટ્રાક્ટરના કારણે સામાન્ય જનતાને કોઈપણ હાલાકી ન પડે તે પ્રકારનું માળખું ગોઠવવા તાકીદ કરી હતી.આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી, મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.આર.ઘાડીઆ તથા અન્ય અધિકારીઓ,કર્મચારીઓ, રાજકીય અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, નરેન્દ્રસિંહ ઝાલા તથા કે.એસ. અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News