મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને તેમના ધર્મપત્નીએ મંચ ઉપર સાધુને પગરખા પહેરાવીને 27 વર્ષ જૂની માનતા પૂરી કરાવી


SHARE













મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને તેમના ધર્મપત્નીએ મંચ ઉપર સાધુને પગરખા પહેરાવીને 27 વર્ષ જૂની માનતા પૂરી કરાવી

મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકપ્રિય અને લડાયક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પત્ની જ્યોત્સ્નાબેન અમૃતિયા દ્વારા ગઈકાલે ઉમટાઉનશીપ ખાતે યોજાયેલ કાર્યકર્તા અભિવાદન સમારોહમાં સાધુને પગરખા પહેરાવતા હતા જેથી કરીને સ્વભાવિક છે કે, લોકોના મનમાં પ્રશ્ન ઊભા થાય કે મંત્રી શા માટે સાધુને પગરખા પહેરાવી રહ્યા છે.

તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે, જે સાધુને હાલમાં મંત્રી અને તેમના પત્ની પગરખા પહેરાવી રહ્યા છે તેમનું સાચું નામ જેરામભાઈ જેલોજા છે અને તેઓ મોરબી તાલુકાના પીપળી ગામના મૂળ રહેવાથી છે હાલમાં તેઓ બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે માતાજી કનકેશ્વરીના સાનિધ્યમાં રહીને ખોખરા હનુમાનની સેવા પૂજા કરી રહ્યા છે જોકે, વર્ષ 1985-86 માં જ્યારે કાંતિભાઈ અમૃતિયા મોરબી તાલુકા પંચાયતના સદસ્ય હતા ત્યારે જેરામભાઈ જેલોજા કે જેને હાલમાં લોકો જદેવાનંદજી મહારાજના નામથી જાણે છે તેઓ પણ તાલુકા પંચાયતના સદસ્યા હતા અને ત્યારે કાંતિભાઈની સાથે રહીને લોક સેવાના લોક ઉપયોગી અનેક કામો કર્યા હતા અને ત્યારથી તેઓ કાંતિભાઈના સમર્થક પણ હતા. જોકે, ત્યાર બાદ તેઓએ ભગવો ધારણ કરી લીધો હતો પરંતુ વર્ષ 1998 માં કાંતિભાઈ અમૃતિયા જ્યારે બીજી વખત ધારાસભ્ય બન્યા ત્યારે કાંતિભાઈ અમૃતિયા લાલ લાઈટ વાળી ગાડી લઈને મોરબી આવે એટલે કે મંત્રી બનીને મોરબી આવે ત્યાં સુધી તેઓ પગરખા નહીં પહેરે તેવી માનતા રાખી હતી અને હવે જ્યારે કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ થઈ ગયો છે ત્યારે ખુદ કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પત્નીએ જયદેવાનંદજી મહારાજને સ્ટેજ ઉપર બોલાવીને પોતાના હાથે પગરખા પહેરાવીને તેઓની માનતા પૂરી કરાવી હતી. આમ 27 વર્ષે દેવાનંદજી મહારાજે પોતાની માનતા પૂરી કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, હાલમાં કાંતિભાઈ અમૃતિયા જે કેન્સરની બીમારીની સારવાર લઈ રહ્યા છે તેમાંથી પણ વહેલી તકે તેઓ સારવાર લઈને તંદુરસ્ત થઈ જાય અને ફરી પાછા લોક સેવાના કાર્યમાં જોડાઈ તેના માટે તેમના અનેક સમર્થકો દ્વારા જુદા જુદા પ્રકારની માનતાઓ રાખવામાં આવી છે.






Latest News