મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે


SHARE







મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, કરણભાઈ સોમાભાઈ હળવદિયા, તથા વિપુલભાઈ રામજીભાઈ ગડા અને હેમુભાઈ વાળા સામે મ્યુલ બેંક વડે ફ્રોડ અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે ગુનામાં પોલીસે અગાઉ આનંદભાઈ સોમાભાઈ હળવદિયાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ હરદેવસિંહ જાડેજા અને સ્ટાફે બાદમાં ગિરિરાજસિંહ કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા (૨૯) રહે.હાલ ભાગ્ય લક્ષ્મી સોસાયટી મોરબી મૂળ કાજુદા ખંભાડિયા વાળાની ધરપકડ કરેલ છે અને બાદ ઊંડી તપાસ કરવામાં આવતા વધુ નામ ખુલતા રવિ મનુભાઈ વિંધાણી વાણંદ (૩૨) રહે.શનાળા બહુચર માતાના મંદિર પાસે મૂળ રહે ગઢની રાંગ ભવાની ચોકને તેમજ તેની સાથે દિવ્યાબેન પરેશભાઈ સોલંકી વાણંદ (૨૫) રહે.જીવનજયોત સોસાયટી નવજીવન સ્કૂલ પાસે વાવડી રોડ મોરબી વાળાઓને પકડવામાં આવ્યા હતા અને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવતા જેલ હવાલે કરાયા હોવાનું તપાસ અધિકારી પીએસઆઇ એચ.આર.જાડેજાએ જણાવેલ છે.

વાહન અકસ્માત

હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ મનજીભાઈ દલવાડી નામના ૪૫ વર્ષના યુવાનને હળવદની મોરબી ચોકડી ખાતે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીયાણાના અંજીયાસરમાં ઘર નજીક થયેલ મારામારીમાં ઇજા થતા કરીમ કાદરભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લઇ જવાયો હતો.જ્યારે સુરેન્દ્રનગરના સાયલા પાસે કારમાં જતા સમયે કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ગઈ હતી જે બનાવમાં ઇજા પામેલ હરેશભાઈ ચકુભાઈ જોગડીયા (૨૯) રહે. શ્રદ્ધા પાર્ક નવલખી રોડને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.હળવદના સુંદરગઢના લાલજીભાઈ કુકાભાઈ ચરમારી (૩૨) નામનો યુવાન ચરાડવા નજીક અકસ્માતમાં ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.વાંકાનેર અમરસિંહજી સ્કૂલ પાસે રહેતા શ્રવણભાઈ કચરાભાઈ નામના ૫૫ વર્ષના આધેડ ઘર નજીક પડી ગયા હોય વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.






Latest News