મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો


SHARE







મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સોના સિરામિક પાસે વળાંકમાં ટ્રકમાંથી કન્ટેનર બાજુમાંથી પસાર થઈ રહેલ કાર ઉપર પડ્યું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં કારમાં બેઠેલ દંપતીનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે કારમાં બેઠેલ મૃતક યુવાનના ભાઈ દ્વારા હાલમાં ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારામાં મોરબી નાકા પાસે આવેલ દેવીપુજકવાસમાં રહેતા નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા (60)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 9822 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 22/12 ના રોજ બપોરે સવા વાગ્યાના અરસામાં ફરિયાદી નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા અને તેના પત્ની જયાબેન નાથાભાઈ કુંઢીયા તેમજ ફરિયાદીનો નાનો ભાઈ મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયા (45) અને તેઓના પત્ની મંજુબેન મનસુખભાઈ કુંઢીયા (40) સેન્ટ્રો ગાડીમાં હળવદ તરફથી મોરબી આવી રહ્યા હતા દરમિયાન જૂના ઘુટુ રોડ ઉપર આવેલ સોના સિરામિક પાસે વળાંકમાંથી તેઓની સેન્ટ્રો કાર પસાર થઈ રહી હતી દરમિયાન આરોપીએ વળાંકમાં બેફિકરાઇથી પોતાનું ટ્રક કન્ટેનર ચલાવ્યું હતું અને ટ્રકની પાછળના ભાગમાં રહેલ કન્ટેનર કાર ઉપર પડ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કારમાં બેઠેલ ચાર વ્યક્તિઓ પૈકી ફરિયાદીના ભાઈ મનસુખભાઈ અને તેના પત્ની મંજુબેનને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદી તથા તેના પત્ની જયાબેનને ઇજાઓ થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News