મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી OSEM સ્કૂલ ખાતે યોજાયેલ બિઝનેસ ફેરનું વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યું ઉદ્ઘાટન


SHARE







મોરબી OSEM સ્કૂલ ખાતે યોજાયેલ બિઝનેસ ફેરનું વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યું ઉદ્ઘાટન

મોરબીની OSEM GSEB સ્કૂલ દ્વારા આયોજિત કોમર્સ ફેસ્ટના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓના બિઝનેસ ફેરનું ભાવસભર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ ફેરનું ઉદ્ઘાટન વૃદ્ધાશ્રમના વડીલોના કરકમલોથી કરવામાં આવ્યું હતું, જે પેઢીઓ વચ્ચેના સંવાદ, સંસ્કાર અને અનુભવના સેતુરૂપ બન્યું હતું. બિઝનેસ ફેરમાં વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા ખાદ્યપદાર્થો, હસ્તકલા, સર્જનાત્મક પ્રોડક્ટ્સ તથા નાના વ્યવસાયિક મોડલ્સ રજૂ કરી વેચાણ કર્યું હતું. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, ભાવનિર્ધારણ અને ગ્રાહક વ્યવહારનો જીવંત અનુભવ મેળવ્યો હતો. આ અવસરે ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ તથા નારુભા જેઠવાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવા પ્રેરિત કરે છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી મેડમે જણાવ્યું હતું કે, “વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ સાથે થયેલું ઉદ્ઘાટન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. કોમર્સ ફેસ્ટ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સ્વાવલંબનની દિશામાં આગળ વધારે છે.”






Latest News