મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અમૃતમંથનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અમૃતમંથનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારીનો જન્મદિવસ હતો જેથી કરીને સ્કાય મોલ ખાતેમાં પારિવારિક મિલન તથા અમૃતમંથનના કાર્યક્રમનું આયોજન યોજાયું હતું. જેમાં અગ્રણીઓ તેમજ બુદ્ધિજીવીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા વકતા ડો. જિગરભાઈ ઈમાનદારએ ખાસ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, આપણે બીજા માટે તો ઘણા કાર્ય કરતા હોઈએ છીએ. આપણા માટે પણ કાર્ય કરવું જોઈએ. જેમ કે સત્ય બોલવું, કર્તવ્ય નિભાવવું. દિવસ દરમિયાન શુ ખોટું કર્યું તેનું રાત્રીના સમયે મંથન કરવુ. બીજા દિવસે તે ન થાય તેનું ધ્યાન રાખવું. તમામ લોકો ઈમાનદારી અને ખંતપૂર્વક કાર્ય કરશે તો ચોક્કસ આપણો દેશ નવી ઊંચાઈએ પહોંચશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ડો. દેવેનભાઇ રબારીએ જણાવ્યું હતું કે, મારા માટે સફળતા કરતા સંઘર્ષ વધારે મહત્વનો રહ્યો છે. કારણ કે સંઘર્ષ એક યાત્રા છે અને સફળતા તો ફક્ત એક સ્ટેશન. ખાસ કરીને જન્મદિવસ નિમિત્તે તેઓને શુભકામનાઓ પાઠવવા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News