મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વાધરવા ગામે કાલે રામધૂન


SHARE







રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વાધરવા ગામે કાલે રામધૂન

મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માળિયાની તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના લોક લાડીલા અને લડાયક ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાલમાં કેન્સરની મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે ત્યારે તેઓના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે તેમના અનેક કાર્યકર્તાઓ અને ટેકેદારો સહિતનાઓ દ્વારા ભગવાનને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે દરમિયાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામજી મંદિર ખાતે તા. 30/11 ને મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત વાધરવા ગામના લોકો આ કાર્યક્રમમાં જોડાશે






Latest News