મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા


SHARE













ટંકારા તાલુકા પંચાયતના રિનોવેશ બાદ લોકાર્પણ ?, સ્ટાફની ભરતી કરવાની ચિંતા કરો: મહેશ રાજકોટિયા

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ કરવામાં આવ્યા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સોમવારે સાંજે યોજાયેલ કાર્યક્રમ સામે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મહેશ રાજકોટિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ લોકાર્પણને પબ્લિસિટી સ્ટંટ ગણાવેલ છે અને ત્યાં ઓફિસમાં વર્ષોથી સ્ટાફની જગ્યા ખાલી છે તેને ભરવામાં આવે તેવી ટકોર કરી છે.

ટંકારા તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ થયા બાદ સોમવારે સાંજે તેનું મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન માંડવીયા, અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને વહીવટી તંત્ર તરફથી ઇન્ચાર્જ ડીડીઓ એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

ત્યારે કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, જૂની બિલ્ડિંગનું ફરી લોકાર્પણ કેમ ?, આ કચેરી વર્ષોથી કાર્યરત છે. માત્ર જર્જરિત હાલતને કારણે રિનોવેશન કરવામાં આવ્યું છે, તો પછી નવી બિલ્ડિંગની જેમ તેનું ફરીથી લોકાર્પણ કરવાની શું જરૂર છે ?,નવીનીકરણ પાછળ આશરે 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ પણ માત્ર રાજકીય દેખાડો કરવા માટે કાર્યક્રમો યોજીને જનતાના પૈસા વેડફવામાં આવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

આ વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2000 થી તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી જરૂરી મહેકમ (સ્ટાફ) મંજૂર કે પૂર્ણ કરવામાં આવ્યું નથી. કર્મચારીઓની અછતને કારણે જનતાએ રોજ ધક્કા ખાવા પડે છે, જેની ચિંતા કરવાને બદલે સત્તાધારી પક્ષ 'તાયફા'માં વ્યસ્ત છે. અને અધિકારીઓએ પણ કાર્યક્રમોમાં ધ્યાન દેવાના બદલે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારમાં રજૂઆત કરવાની જરૂર છે તેવી ટકોર કરી હતી.






Latest News